મિત્રો ,હિન્દુ ધર્મમાં કોઇપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાનનો દીવો અવશ્ય કરવામાં આવે છે. આપણે ઘરે સવાર-સાંજ ભગવાનની પૂજા અર્ચના કરતી વખતે પણ સંપૂર્ણ શ્રદ્ધા પૂર્વક ભગવાનનો દીવો અવશ્ય પ્રગટાવીએ છીએ. દીવો પ્રગટાવવાથી આસપાસના વાતાવરણમાં એક અલગ જ દૈવી શક્તિ અને સકારાત્મક ઊર્જા ફેલાય છે. આ સકારાત્મક ઊર્જાથી આપણા આસપાસનું વાતાવરણ એકદમ પવિત્ર બની જાય છે.
આપણા વાસ્તુશાસ્ત્રમાં દીવો પ્રગટાવવા ના અને તેને કઈ જગ્યા ઉપર મૂકવા એ બાબતે કેટલાક નિયમો દર્શાવેલા છે. ભગવાનના દીવાની દિશા કઈ બાજુ હોવી જોઈએ એ બાબતે પણ કેટલીક મહત્વપૂર્ણ વાતો આપણા વાસ્તુશાસ્ત્રમાં આપેલી છે. દીવાની જ્યોત કઈ બાજુ રાખવી એનું પણ સવિસ્તાર વર્ણન કરવામાં આવેલું છે.
દીવાની જ્યોત પૂર્વ દિશામાં રાખવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. પરિવારના સભ્યોના આયુષ્ય ખૂબ જ લાંબા રહે છે. દીવાની જ્યોત પશ્ચિમ દિશા બાજુ રાખવાથી ઘરમાં દુખ અને સમસ્યાઓ વધી શકે છે. જેથી ભૂલથી પણ ઘરમાં દીવા ની જ્યોત પશ્ચિમ દિશા બાજુ રાખવી જોઈએ નહીં. ઘરમાં ધન તથા આરોગ્ય ને લગતી સમસ્યા ઉભી થઇ શકે છે.
દીવાની જ્યોત ઉત્તર દિશા બાજુ રાખવાથી ઘરમાં અઢળક ધનલાભ થાય છે તેથી જો ઘરમાં પૈસાની બાબતે આર્થિક સમસ્યાઓ રહેતી હોય તો દરરોજ ઉત્તર દિશા બાજુ દીવાની જ્યોત રાખવી જોઈએ રંગીલો જેથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો ચોક્કસ થશે. દીવાની જ્યોત દક્ષિણ દિશા બાજુ રાખવાથી ઘરમાં ધન તથા આરોગ્ય નુકસાન થઈ શકે છે. જેથી ભગવાનના દીવાની જ્યોત દક્ષિણ દિશા બાજુ કદાપિ ન રાખવી જોઈએ.