મિત્રો, જો આવનારી પરિસ્થિતિ ને તમે કંટ્રોલ કરી શકતા હોય તો ચિંતા કરવાનું કોઇ કારણ નથી અને તમે જો તેમ ના કરી શકતા હો તો ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી. કાલે જે કરી શકતા હોય તે સારી રીતે કરી શકો તે માટેની ઈચ્છા પ્રભુને અર્પણ કરો અને તેમ કરવાની શક્તિ વિશે પ્રાર્થના કરી આજને જીવી લો. ચિંતા કરવી જ હોય તો ક્રિયા વિશે નહીં પણ નિષ્ક્રિયતા વિશે કરો. ચિંતા સમાન બીજું કોઇ શરીરને શોષનારુ નથી. એક વખત તમારા અંતરમાં જુઓ અને ત્યાં કશું ખોટું ના અનુભવો તો ચિંતા કરવાનું કોઇ જ કારણ નથી. ચિંતા મધમાખી જેવી છે તેને જેટલી હટાવો એટલી જ તે વધારે ચોટે છે. ચિંતાએ આવતીકાલના દુઃખોને નહીં પરંતુ આજની શક્તિને ખાલી કરે છે.
ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે. ચિંતાએ આપણને હંમેશા ખોટ કરતો ધંધો જ આપ્યો હોય તો હવે સમય આવી ગયો છે કોઈ બીજું કામ શોધી લેવાનો. ચિંતાએ સમસ્યાની કિંમત નું વ્યાજ છે. ચિંતાએ આજ સુધી કોઈ પણ કાર્યને પૂર્ણ કર્યું નથી. જેટલી વધારે પ્રાર્થના કરવામાં આવે તેટલી ચિંતા ઓછી થશે. ચિંતા આખી રાતનો ઉજાગરો કરાવે છે જ્યારે શ્રદ્ધા ઊંઘની ચાદર આપે છે. એક મરણ પથારીએ પડેલા માણસે કહ્યું તેની જિંદગી અઢળક દુઃખોથી ભરેલી હતી, તેમના મોટા ભાગનાં દુઃખો તો આવ્યા જ ન હતા. બીજાના કામની ચિંતા કરતો નથી તે આરામ અને શાંતિ મેળવે છે. આપણી ચિંતા હંમેશા આપણી કમજોરીને કારણે જ હોય છે. તમારી બધી શક્તિઓ ને આજ માટે વાપરશો તો કાલે ચિંતા કરવાનું કોઈ કારણ નહીં રહે. ચિંતા એ નાની સમસ્યાનો મોટો પડછાયો દેખાડે છે.
સૂતી વખતે મનમાં ચિંતાઓને રાખવી તે પોતાની પીઠ ઉપર ગાંસડી રાખીને બાંધીને સુવા બરાબર છે. ચિંતાને છોડીને તમે પોતે બદલશો તો સમય બદલાશે. આવનારી મુશ્કેલીઓની પહેલેથી આગાહી ના કરો. ભવિષ્યમાં જે કદાચ કદી બનવાનું નથી તેની ચિંતામાં અત્યારથી જ અધમૂવા ન થાવ. તમે ચિંતા કરો છો તેનો અર્થ એ છે કે તમે જ બધું કરો છો અને તમારા સિવાય બીજું કોઈ નહીં કરે એવો અહંકાર તમે કરી રહ્યા છો. ચિંતા એ જીવનના કાટ રૂપ છે, તે જીવનની ઉજ્જવળતાનો નાશ કરે છે અને તાકાતને નબળી પાડે છે. ચિંતાએ કલ્પનાશક્તિનો સૌથી મોટો દુરુપયોગ છે. ચિંતા જીવનનો શત્રુ છે તે તમારા વિચારોને એક અલગ દિશામાં જ વાળી દે છે. તમારો સમય ખરાબ ચાલતું હોય તો ચિંતાના માર્ગે ખરાબ સમયની સાથે ના ચાલે. જો વાંચીને તમે ચિંતામુક્ત બન્યા હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમારા કીમતી મંતવ્યો પણ કોમેન્ટ બોક્ષમાં અવશ્ય જણાવજો.